શાળામાં પુન:પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા માટેની માર્ગદર્શિકા…..

Feb 17, 2021

સર્વ વાલીમિત્રોેને જણાવવાનું કે સરકારશ્રીના પરિપત્ર અનુસાર પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો માટે તારીખ ૧૮/૨/૨૦૨૧ થી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય પુન: શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ એસ.ઓ. પી / માર્ગદર્શિકા નીચે આપવામાં આવેલ છે.તે પ્રમાણે બાળકને શાળામાં મોકલતી વખતે
નીચે આપેલ સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

વાલીમિત્રોએ ધ્યાનમાં રાખવાની બાબતો

. વાલીમીત્રોએ બાળકોને ઘરેથી પુસ્તક,નોટબુક,પેન્સિલ,રબર, પાણીની બોટલ,ટીફીન, રૂમાલ, નાની સેનેટાઈઝરની બોટલ ફરજીયાતપણે આપવાની રહેશે.

. બાળકોને સરકારશ્રીની કોવીડ૧૯ની માર્ગદર્શિકા બાબતે સમજાવીને શાળા પર મોકલશો.

. માતાપિતા માંથી કોઈપણ એક જ વાલીએ બાળકને શાળાએ મૂકવા આવવાનું રહેશે. વાલીમિત્રોએ કોઈપણ સંજોગોમાં શાળામાં પ્રવેશ કરવો નહિ.

. બાળકો સમયસર શાળાએ પહોંચે તેમજ શાળાથી સીધા ઘરે પહોંચે તે સુનિશ્ચિત કરવું.

૫. શાળા સમય દરમ્યાન કોપીપણ વસ્તુની આપ-લે કરવાની છૂટ આપવામાં આવશે નહિ.

શાળા સમય દરમ્યાન વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો

  • તા.૧૮૦૨૨૦૨૧ને ગુરૂવાર ના રોજ સરકારશ્રીના જણાવ્યા મૂજબ ધો. ૬ થી ધો.૮ નું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થાય છે.
  • દરેક વ્યક્તિએ માસ્કનો ઉપયોગ કરવો તથા ૬ ફૂટનું અંતર જાળવવું અને સેનેટાઈઝરની નાની બોટલ પોતાની સાથે રાખવી.
  • શાળા સંકુલમાં પ્રવેશ કરો ત્યારે ફરજિયાત પણે હાથને સેનેટાઈઝ કરવા અને તાપમાન ચેક કરાવવું.
  • સમગ્ર શાળામાં તથા શૌચાલયમાં સ્વચ્છતા જાળવવી તેમજ ભેગા થવું નહિ.
  • શાળામાં આવ્યા બાદ જણાવેલ સ્થાન ઉપર જ બેસવું , ગમે ત્યાં ફરવું નહિ.
  • દરેક વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તક તથા નોટબુક, પેન્સિલ, પેન, પાણીની બોટલ, નાનો રૂમાલ વગેરે વસ્તુ ફરજીયાત પોતાનું જ લાવવાનું રહેશે. કોઈપણ વસ્તુની ફેરબદલ કરવી નહિ.
  • દરેક વિદ્યાર્થીઓએ ઘરેથી રાંધેલો પોષ્ટિક ખોરાક ટીફીનમાં લાવવાનો રહેશે.
  • શાળાની રજા થયા પછી વિદ્યાર્થીઓએ કોઈપણ સ્થળે રોકાયા વિના સીધા ઘરે જવું.
  • દરેક વિદ્યાર્થીઓએ છીંક કે ખાંસી વખતે મોં આગળ રૂમાલ રાખવો તેમજ ગમે ત્યાં થૂકવું નહિ.
  • શરદી, ઉધરસ, તથા તાવના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીઓએ શાળામાં આવવું નહિ તેમણે ઓનલાઈન અભ્યાસક્રમ દ્વારા પોતાનો અભ્યાસ કરવાનો રહેશે.
  • તમારા ઘરમાં અથવા ઘરની આસપાસ ફળિયામાં કોઈ કોરોના પોઝીટીવ કેસ હોય તો શાળામાં વર્ગશિક્ષકને જાણ કરવી.
  • સરકારશ્રી દ્વારા સૂચવવામાં આવેલ માર્ગદર્શિકાનું અને સૂચનોનું દરેક વિદ્યાર્થીઓએ અને વાલીમીત્રોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

 

આપનાં સહકારની અપેક્ષા સહ.
શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય.